![]() |
| શ્રી ઓસિયા તીર્થ |
| (શ્રી મહાવીર ભગવાન) |
| જોધપુર-ફલોધિ મુખ્ય સડક માર્ગ પર આવેલું આ તીર્થ જોધપુર તેમ જ ફલોદીથી 65 કિ.મી. દૂર છે. ઓસવાળોની ઉત્પત્તિ સાથે આ ભવ્ય તીર્થનો ઈતિહાસ જોડાયેલો છે. ધર્મ , કલા અને ઈતિહાસ એમ ત્રણેય રીતે પ્રસિદ્ધ આ તીર્થ વિશ્વવિખ્યાત છે . વીર સંવત 70 માં ભગવાન પાર્શ્વનાથની પરંપરાના સાતમા પટ્ટધર પૂ.આ. શ્રી રત્નપ્રભસૂરીશ્વરજી 500 શિષ્યો સાથે અહીં પધાર્યા હતા. અને રાજા ઉપલદેવ , મંત્રી ઉહડ અને અનેક રજપૂતોને ધર્મોપદેશ આપીને જૈનધર્મી બનાવ્યા હતા. આ મહાવીર જિનાલય રાજા ઉપલદેવે બંધાવ્યું અને આ. શ્રી રત્નપ્રભસૂરિજી મ. તેની પ્રતિષ્ઠા કરી. આ ભવ્ય પ્રતિમા રાજા સપ્રતિ દ્વારા નિર્મિત છે. ઉહડ મંત્રીએ જ્યારે ઓસિયાનગર બંધાવ્યું ત્યારે ભૂગર્ભમાંથી આ પ્રતિમા પ્રગટ થઈ હતી. મંદિરનું પુનઃ નિર્માણ કરીને વિ.સં. 1017 માં શ્રી મહાવીર ભગવાનની પ્રતિમા પ્રતિષ્ઠિત કરાવ્યાનો ઉલ્લેખ મળે છે. ઓસવાલ સમાજની પ્રત્યેક વ્યક્તિને માટે પોતાના ઉદભવની આ મહિમાવંતી ભૂમિ છે. શ્રી મહાવીર જિનાલયમાં શ્રી પુનિયાબાબાના નામથી પ્રખ્યાત ચમત્કારિક શ્રી અધિષ્ઠાયક દેવની પ્રતિમા નાગ-નાગણીના રૂપમાં બિરાજમાન છે. મૂળનાયક શ્રી મહાવીર ભગવાનની લગભગ 80 સે.મી. ઊંચી સુવર્ણ વર્ણની પદ્માસનસ્થ પ્રતિમા છે. તો અહીંનું ભગવાન મહાવીરનું મંદિર અને અન્ય મંદિરો એની ભવ્યતા , કલાત્મકતા , અને શિલ્પસૌદર્યને લીધે જાણીતાં છે. રંગમંડપના સ્તંભો , દીવાલો , ઘરનાં દ્રશ્યો તથા રંગમંડપનો બહાર આલેખાયેલા પ્રસંગો અત્યંત સજીવ છે તો મંદિરની ભમતીમાં આવેલા તોરણની કારીગરી અત્યંત આકર્ષક છે. |



માં આવેલું વિશાળ સમવસરણ મંદિરના દર્શન જરૂર કરજો.